મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતુ કે, લોકોની સાથે ચર્ચા કરીને તેની સમસ્યાને જાણીને તેનું નિરાકરણ લાવવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને જો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સુશાસન આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવું કહીને આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને કોઈપણ પ્રકારના સંદેહ વગર અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરી હતી






Latest News