ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે લાયન્સ ક્લબ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પક્ષીઓના પાણી માટેના કુંડાઓનું વિતરણ કરાશે


SHARE













મોરબીમાં કાલે લાયન્સ ક્લબ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પક્ષીઓના પાણી માટેના કુંડાઓનું વિતરણ કરાશે

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ સેવ કાર્ય કરતી લાયન્સ ક્લબ મોરબી નજરબાગ દ્વારા તા.૨૪ ને રવિવાર રોજ પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે અને પશુ પક્ષી માટે વિનામુલ્યે આ પાણી પીવાના કુંડા અને ચકલીના માળા આપવામાં આવશે

મોરબીના રવાપર રોડ ઉપર ચકીયા હનુમાન પાસે રાજેશ સાયકલ સત્ય સાંઈ વાળી શેરી ખાતે તા ૨૪ ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧ વાગ્યા સુધી પશુ પક્ષી માટે વિનામુલ્યે આ પાણી પીવાના કુંડા અને ચકલીના માળા આપવામાં આવશે ત્યારે આ સંસ્થાની સેવાકિય પ્રવૃતિને વેગ આપવા માટે મોરબીના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને સાથે જ એક કદમ મહિલા સુરક્ષા હેઠળ મહિલાઓને વિનામૂલ્યે સેનેટરી પેડ વિતરણ કરવામા આવશે. તેવું સંસ્થા પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા તથા પ્રોજેકટ ચેરમેન સમીર ગાંધી સહિતએ જણાવ્યુ છે

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટેના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અગાઉ રવાપર રોડે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને કાલે રવિવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સવારે ૧૦ વાગ્યાથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે






Latest News