ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી


SHARE













મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પોતાનું મોપેડ પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર જાતે ખવાસ રાજપૂત (ઉંમર ૬૭) પોતાનું મોપેડ નં. જીજે ૩૬ એન ૪૬૧૮ લઈને મોરબીમાં શાકમાર્કેટ પાસે ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું મોપેડ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોપેડની ચોરી થઇ હોવા અંગેની ભોગ બનેલા ભીખાલાલ ખેરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આપઘાતનો પ્રયાસ

મોરબીની ભરવાડ શેરીમાં રાધે ક્રીષ્ના મંદીર વિજયનગરમાં રહેતી લાંબરીયા નિશાબેન રતીલાલભાઇ (ઉ.૨૧)એ પોતાના પિતાના ઘરે વાવડી રોડ ભગવતીપરામાં ચુંદડીવડે પંખા સાથે ગળે ફાંસો ખાતા તેનો ભાઇ સાગર તેને જોઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક  સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ મહિલાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એમ.પટેલે પરિણીતાનું નિવેદન લીધું હતું જેમાં તેને જણાવ્યુ હતું કે, પતિ અને સાસુ સાથે અવાર નવાર બોલાચાલી થતી હોય તે બાબતે લાગી આવ્યું હતુ જેથી આવેશમાં આવીને પિતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો






Latest News