મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિ-રવિવારે ફ્રી કેન્સર નિદાન કેમ્પ: સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું આયોજન


SHARE













મોરબીમાં શનિ-રવિવારે ફ્રી કેન્સર નિદાન કેમ્પ: સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું આયોજન

મોરબીના શ્રીવીશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત શ્રી ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી શનિવાર તેમજ રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.દાતા સ્વ.રોહિતભાઈ છબીલદાસ દોશીના આત્મશ્રેયાર્થે અરુણાબેન દોશીના હસ્તે આ કેમ્પ માટે આર્થીક સહયોગ આપવામાં આવેલ છે.

મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.આગામી તા.૩૦-૪ અને તા.૧-૫ એટલે કે આગામી શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે ફ્રી માં કેન્સર નિદાન કેમ્પ યોજાશે.જેમા તપાસણી કરીને નિદાન કરી આપવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ નોંધાવવાનું રહેશે.સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહ તથા ટ્રસ્ટી ભાવેશભાઇ દોશીએ જરૂરીયાતમંદ દર્દીઓને આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.

સ્ત્રી સ્વરક્ષણની તાલીમ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે અને આ તાલીમનો જે બ્રાહ્મણ માતાઓ અને બહેનોએ લાભ લેવો હોય તેમને હેતલબેન વ્યાસ (૯૪૨૮૨૮૦૩૯૭), અલકાબેન દવે (૮૯૦૫૮૭૭૧૯૦), ઝંખનાબેન દવે (૯૯૦૯૦૦૯૦૨૫) અને કૃપાનીબેન ભટ્ટ (૯૯૭૮૩૦૦૦૮૦)ના મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે 






Latest News