માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE

















મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ અને સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી પાંખો દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારઑ કરવામાં આવી રહી છે અને શોભાયાત્રા, રસ ગરબા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજની જુદીજુદી પાંખો દ્વારા હાલમાં આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨ ના રોજ રાતે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ રાખવામા આવેલ છે અને તા ૩ ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડે આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવ પરિવારોને આ કાર્યક્ર્મમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે જણાવ્યુ છે.




Latest News