ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE













મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ અને સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી પાંખો દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારઑ કરવામાં આવી રહી છે અને શોભાયાત્રા, રસ ગરબા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજની જુદીજુદી પાંખો દ્વારા હાલમાં આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨ ના રોજ રાતે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ રાખવામા આવેલ છે અને તા ૩ ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડે આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવ પરિવારોને આ કાર્યક્ર્મમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે જણાવ્યુ છે.






Latest News