વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ અને સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી પાંખો દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારઑ કરવામાં આવી રહી છે અને શોભાયાત્રા, રસ ગરબા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજની જુદીજુદી પાંખો દ્વારા હાલમાં આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨ ના રોજ રાતે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ રાખવામા આવેલ છે અને તા ૩ ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડે આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવ પરિવારોને આ કાર્યક્ર્મમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે જણાવ્યુ છે.






Latest News