માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી


SHARE

















મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

મોરબીમાં અગાઉ એસટીની બસો ધક્કા ગાડી જેવી હતી તેના સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે આ અંગે મીડિયા સમક્ષ બોલનાર એસટી ડ્રાઇવરને સજાના રૂપે દંડ અને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ અને ત્યાર બાદ તેને નોકરી ઉપર લઈને ગોંડલ બાદ જસદણ બદલી કરવામાં આવી છે આમ તે કર્મચારીને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી કરીને તેને એસટીના મેનેજીંગ ડિરેક્ટર પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી છે.

મોરબીમાં એસટીના ફિક્સ પગારદાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ દોઢેક વર્ષ પહેલા એસટીની ધક્કા ગાડી છે તેવા સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે તેને મીડિયામાં માહિતી આપી હતી જેથી કરીને તેને પાંચ પ્રકારની સજા કરવામાં આવી હતી જેમાં તેને છેલ્લે ગોંડલટી બદલી કરીને જસદણ મૂકવામાં આવેલ છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ જાતના વાંક વગર એસટીના યુનિયન અગ્રણીઅધિકારીઓ દ્વારા માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરવામાં આવે છે અને તેનો દીકરો પણ બીમાર છે ત્યારે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મેનેજીંગ ડિરેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની મંજૂરી માંગી છે અને આ પત્રની નકલ મુખ્યમંત્રીગૃહમંત્રીવાહન વ્યવહાર મંત્રી વિગેરેને મોકલવામાં આવી છે 




Latest News