મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્ર યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા કૃષિ મેળા અને કૃષિ પ્રદર્શનનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના ૩૦૦ થી પણ વધારે ખેડૂતએ તેમાં ભાગ લીધો હતો જેમાં કિસાન ગોષ્ટી, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં અનુભવો, વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા તેમજ ખેતીવાડી ખાતું જિલ્લા પંચાયત મોરબી, પશુપાલન વિભાગ, મોરબી દ્વારા ખેડૂતોની સહાય લક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે કૃષિ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવેલ, અને પ્રાકૃતિક ખેતીને લગતા હળવદ, વાંકાનેર માળિયા અને મોરબી તાલુકાના ખેડૂતોના જુદા જુદા નિદર્શન સ્ટોલ હતા જેમાં ખાસ કરીને દાડમ, લીંબુ, ખારેકલીલી હળદર, ચણા ઘઉં અને શાકભાજીનું પ્રદર્શન હતું. જેથી મુલાકાત લેનાર ખેડૂતોને આ અંગે પ્રત્યક્ષ માર્ગર્શન માર્ગદર્શન મળી રહે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ક્રિભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત કેન્દ્રના વડા ડૉ. જીવાણી કર્યું હતું જ્યારે આભારવિધી કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ કરી હતી.






Latest News