મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રરહેવાના છે અને તેના હસ્તે ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસભાઈ પરમાર સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે

કાલે તા ૨૮ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુનું અનાવરણ, આર્ટ ગેલેરી સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, કબીરધામ આશ્રમના મહંત શિવરામદાસ ઉપસ્થિત રહેશે તેમ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કણઝારીયાએ જણાવ્યુ છે

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવાર તા.૭ ના રોજ થાંભલી રોપણ અને ભુવાના સામૈયા સવારે શુભ ચોઘડીયે કરાશે. અને મહાપ્રસાદ સાંજે ૬:૩૦ કલાકે રાખેલ છે અને થાંભલીના વધામણા તા.૮ ને રવિવાર સવારે કરાશે.






Latest News