ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રરહેવાના છે અને તેના હસ્તે ગાંધીબાગનું પુષ્પ ગોકળદાસભાઈ પરમાર સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે

કાલે તા ૨૮ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુનું અનાવરણ, આર્ટ ગેલેરી સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, કબીરધામ આશ્રમના મહંત શિવરામદાસ ઉપસ્થિત રહેશે તેમ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કણઝારીયાએ જણાવ્યુ છે

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી શનિવાર તા.૭ ના રોજ થાંભલી રોપણ અને ભુવાના સામૈયા સવારે શુભ ચોઘડીયે કરાશે. અને મહાપ્રસાદ સાંજે ૬:૩૦ કલાકે રાખેલ છે અને થાંભલીના વધામણા તા.૮ ને રવિવાર સવારે કરાશે.






Latest News