વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન


SHARE











મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન

મોરબીમાં કાર્યરત સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા આગામી તા.૨-૫ ને સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરાયુ છે જે દરમિયાન પિળા પાનનો પરમાટ વિષય ઉપર વકતવ્યનું પણ આયોજન કરાયુ હોય તેનો લાભલેવા યાદીમાં જણાવાયેલ છે.

મોરબી સિનિયર સિટીઝન સંસ્થા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટે માહીતી આપતા જણાવેલ છે કે આગામી તા.૨-૫ ને સોમવારના ના રોજ સવારે ૧૦ વાગ્યે શહેરના શનાળા રોડ પર આવેલી હોટલ મહેશ ખાતે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને મીટીંગ દરમિયાન ડો.ભાવેશ બી. જેતપરીયા "પીળાં પાનનો પમરાટ" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપશે માટે સીનીયર સીટીઝન કાઉન્સિલના તમામ સદસ્યોને પધારવા જાહેર આમંત્રણ છે અને કાર્યક્રમ પુર્ણ થયે ભોજન સમારંભનું પણ સંસ્થા દ્રારા આયોજન કરવામાં આવેલ છે.

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૭-૫ ને શનિવારના રોજ શુભ ચોઘડીયે થાંભલી રોપણ અને ભુવાના સામૈયા થશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. તા.૮ ને રવિવાર સવારે થાંભલીના વધામણા કરાશે તેમ આયોજકોએ યાદીમાં જણાવેલ છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર

હંમેશા સેવાના ભાવથી કાર્ય કરતી મોરબીની બે સંસ્થાઓ એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને ક્રાંતિકારી સેના.આ બંને સંસ્થાઓ છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે અને દિવસે દિવસે તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ વધતો જતો હોય અને વધુ સેવા કાર્યો કરવા માટે વધુ આર્થીક સહયોગની જરૂર રહેતી બોય છે માટે આ બે સંસ્થાઓના સભ્યોએ સાથે મળીને સંસ્થાને સ્વનિર્ભર બનાવવા માટે એક પહેલ કરી છે.મોરબીની જનતાને એક અપીલ કરી છે કે પોતાના ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરે તો કેસરી ઈવેન્ટને કામનો ઓર્ડર આપી સહયોગ આપવો કેમ કે આ કેસરી ઈવેન્ટને જે કંઇ નફો થશે તે નફો આ બન્ને સંસ્થાઓના સારા કામોમાં વાપરવામાં આવશે.સંપર્ક માટે મો.૯૦૧૬૪ ૯૯૯૯૯, ૮૮૪૯૮ ૩૬૪૬૧ અથવા ૯૬૦૧૩ ૪૭૦૦૭ ઉપર ફોન કરવા જણાવાયેલ છે.





Latest News