ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન


SHARE













મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન

મોરબીમાં કાર્યરત સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા આગામી તા.૨-૫ ને સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરાયુ છે જે દરમિયાન પિળા પાનનો પરમાટ વિષય ઉપર વકતવ્યનું પણ આયોજન કરાયુ હોય તેનો લાભલેવા યાદીમાં જણાવાયેલ છે.

મોરબી સિનિયર સિટીઝન સંસ્થા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટે માહીતી આપતા જણાવેલ છે કે આગામી તા.૨-૫ ને સોમવારના ના રોજ સવારે ૧૦ વાગ્યે શહેરના શનાળા રોડ પર આવેલી હોટલ મહેશ ખાતે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને મીટીંગ દરમિયાન ડો.ભાવેશ બી. જેતપરીયા "પીળાં પાનનો પમરાટ" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપશે માટે સીનીયર સીટીઝન કાઉન્સિલના તમામ સદસ્યોને પધારવા જાહેર આમંત્રણ છે અને કાર્યક્રમ પુર્ણ થયે ભોજન સમારંભનું પણ સંસ્થા દ્રારા આયોજન કરવામાં આવેલ છે.

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૭-૫ ને શનિવારના રોજ શુભ ચોઘડીયે થાંભલી રોપણ અને ભુવાના સામૈયા થશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. તા.૮ ને રવિવાર સવારે થાંભલીના વધામણા કરાશે તેમ આયોજકોએ યાદીમાં જણાવેલ છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર

હંમેશા સેવાના ભાવથી કાર્ય કરતી મોરબીની બે સંસ્થાઓ એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને ક્રાંતિકારી સેના.આ બંને સંસ્થાઓ છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે અને દિવસે દિવસે તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ વધતો જતો હોય અને વધુ સેવા કાર્યો કરવા માટે વધુ આર્થીક સહયોગની જરૂર રહેતી બોય છે માટે આ બે સંસ્થાઓના સભ્યોએ સાથે મળીને સંસ્થાને સ્વનિર્ભર બનાવવા માટે એક પહેલ કરી છે.મોરબીની જનતાને એક અપીલ કરી છે કે પોતાના ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરે તો કેસરી ઈવેન્ટને કામનો ઓર્ડર આપી સહયોગ આપવો કેમ કે આ કેસરી ઈવેન્ટને જે કંઇ નફો થશે તે નફો આ બન્ને સંસ્થાઓના સારા કામોમાં વાપરવામાં આવશે.સંપર્ક માટે મો.૯૦૧૬૪ ૯૯૯૯૯, ૮૮૪૯૮ ૩૬૪૬૧ અથવા ૯૬૦૧૩ ૪૭૦૦૭ ઉપર ફોન કરવા જણાવાયેલ છે.





Latest News