મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત


SHARE













મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમ ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લો બન્યો પરંતુ ૭ વર્ષ પછી પણ મોરબી જિલ્લાને આજ સુધી ગ્રાહક કોર્ટ મળી નથી જેથી તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યો તેને ૭ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે અને તમામ સરકારી કચેરીઓ આવી ગઇ છે અને કાર્યરત થઇ ગઇ છે જોકે મોરબીના ગ્રાહકોના પ્રશ્ન ઘણાં જ છે જેમાં મુખ્યત્વે હાલમાં ગ્રાહકોના એકસો વીસ કેઇસ રાજકોટ ખાતે રાજકોટ તકરાર નિવારણ કમીશનમાં ચાલે છે. તથા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સાત કેઇશ ચાલે છે. અને નવી દિલ્હી ખાતે પણ ત્રણ કેઇસ ચાલે છે. હવે ગ્રાહકને મોટી મુશ્કેલી પદ રહી છે અને રાજકોટ ખાતે ફકત મંગળવારે જ કોર્ટ ચાલે છે. જેથી ગ્રાહકોના કેઇસનો ભરાવો (પેઇન્ડીંગ) થાય છે. અને વર્ષોથી ગ્રાહકને ન્યાય મળતો નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાગો ગ્રાહક જાગોની યોજના સફળ બનાવવા ધણા બધા સુધારા કર્યા છે. પરંતુ ગ્રાહક માટેની કોર્ટ ચાલતી ન હોય યોજના નિષ્ફળ થાય તેવું દેખાય છે. જ્યારે કોર્ટ જ ન ચાલતી હોય ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ ઉઠતો જાય છે માટે મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા માટે યોગ્ય અને ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ પણ રાજયના મુખ્યમંત્રી સમક્ષ આ મુદે માંગ કરેલ છે.






Latest News