માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત


SHARE

















મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમ ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છેકે મોરબી જીલ્લો બન્યો પરંતુ ૭ વર્ષ પછી પણ મોરબી જિલ્લાને આજ સુધી ગ્રાહક કોર્ટ મળી નથી જેથી તાત્કાલિક આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યો તેને ૭ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે અને તમામ સરકારી કચેરીઓ આવી ગઇ છે અને કાર્યરત થઇ ગઇ છે જોકે મોરબીના ગ્રાહકોના પ્રશ્ન ઘણાં જ છે જેમાં મુખ્યત્વે હાલમાં ગ્રાહકોના એકસો વીસ કેઇસ રાજકોટ ખાતે રાજકોટ તકરાર નિવારણ કમીશનમાં ચાલે છે. તથા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં સાત કેઇશ ચાલે છે. અને નવી દિલ્હી ખાતે પણ ત્રણ કેઇસ ચાલે છે. હવે ગ્રાહકને મોટી મુશ્કેલી પદ રહી છે અને રાજકોટ ખાતે ફકત મંગળવારે જ કોર્ટ ચાલે છે. જેથી ગ્રાહકોના કેઇસનો ભરાવો (પેઇન્ડીંગ) થાય છે. અને વર્ષોથી ગ્રાહકને ન્યાય મળતો નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાગો ગ્રાહક જાગોની યોજના સફળ બનાવવા ધણા બધા સુધારા કર્યા છે. પરંતુ ગ્રાહક માટેની કોર્ટ ચાલતી ન હોય યોજના નિષ્ફળ થાય તેવું દેખાય છે. જ્યારે કોર્ટ જ ન ચાલતી હોય ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ ઉઠતો જાય છે માટે મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા માટે યોગ્ય અને ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ પણ રાજયના મુખ્યમંત્રી સમક્ષ આ મુદે માંગ કરેલ છે.




Latest News