મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને


SHARE

















મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને

મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘરમાં શહેરમાં રખડતાં આસરે ૨૨૦૦ જેટલા આખલા અને ખુટીયા પકડીને  રાખવામાં આવેલ છે. પરંતુ તેના ચાર અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ફક્ત સરકાર કે નગરપાલિકાની નહીં પણ મોરબીના તમામ લોકોની છે ત્યારે આપણી સૌની સહિયારી ફરજ સમજીને સારી રીતે અબોલજીવને પુરતો ખોરાક મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કારમાં આવી છે

વધુમાં જણાવ્યુ છે કે, અહી એક દિવસમાં ૯૦૦ મણ લીલો ઘાસચારો જોઈએ છે જેના માટે દૈનિક ૭૮૦૦૦ નો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ગૌવંશ માટે પરીષદના સભ્યો તથા દાતાઓના સહયોગથી ફાળો એકત્ર કરી ઘાસચારો નાખવાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતે વ્યક્તિને યોગ્ય લાગે તેટલાં રૂપિયાનું અનુદાન એક અઠવાડિયામાં એટલે કે તા ૪ સુધીમાં આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને આ અનુદાન ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના ડો જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૩૧૪), મંત્રી અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯૨૧૩૮૪) તેમજ કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૮૮) અને પંકજભાઈ ફેફરનો સંપર્ક કરીને આપવાનો રહેશે અને તા ૭ ના રોજ એકત્રિત થયેલ રકમમાંથી ઘાસચારો આપવામાં આવશે




Latest News