મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને


SHARE







મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને

મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘરમાં શહેરમાં રખડતાં આસરે ૨૨૦૦ જેટલા આખલા અને ખુટીયા પકડીને  રાખવામાં આવેલ છે. પરંતુ તેના ચાર અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ફક્ત સરકાર કે નગરપાલિકાની નહીં પણ મોરબીના તમામ લોકોની છે ત્યારે આપણી સૌની સહિયારી ફરજ સમજીને સારી રીતે અબોલજીવને પુરતો ખોરાક મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કારમાં આવી છે

વધુમાં જણાવ્યુ છે કે, અહી એક દિવસમાં ૯૦૦ મણ લીલો ઘાસચારો જોઈએ છે જેના માટે દૈનિક ૭૮૦૦૦ નો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ગૌવંશ માટે પરીષદના સભ્યો તથા દાતાઓના સહયોગથી ફાળો એકત્ર કરી ઘાસચારો નાખવાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતે વ્યક્તિને યોગ્ય લાગે તેટલાં રૂપિયાનું અનુદાન એક અઠવાડિયામાં એટલે કે તા ૪ સુધીમાં આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને આ અનુદાન ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના ડો જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૩૧૪), મંત્રી અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯૨૧૩૮૪) તેમજ કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૮૮) અને પંકજભાઈ ફેફરનો સંપર્ક કરીને આપવાનો રહેશે અને તા ૭ ના રોજ એકત્રિત થયેલ રકમમાંથી ઘાસચારો આપવામાં આવશે






Latest News