વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા
મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ યોજાઇ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651411539.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ યોજાઇ
મોરબીમાં રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા ગુજરાતના નેજા હેઠળ રાજ્યના નેતૃત્વ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના,તાલુકાના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન થયું હતું અને આગામી ૬ઠી મે ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવા માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે તેના સંદર્ભે જ્યારે ગુજરાત ભરમાંથી શિક્ષક ભાઈઓ બહેનો તથા કર્મચારીઓ માથે કેસરી પટ્ટી રાખી ધરણા કાર્યક્રમ આપવાના છે. આ બેઠકનું આયોજન સયુંકત મોરચાના સંયોજક દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક તાલુકામાંથી ખુબજ બહોળી સંખ્યામાં તમામ કર્મચારીઓ સહિત તમામ શિક્ષક બંધુ અને ભગીનીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થાય તે બાબત માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ જિલ્લાના ઉપાઘ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે માઇક્રો પ્લાનિંગ દ્વારા કાર્યક્રમને સફળ કેમ બનાવો ? તેનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગાંધીનગર ખાતે છઠ્ઠી મે ના રોજ ધરણામાં પાંચસોથી વધુ કર્મચારીઓ જોડાઈ તેવી શ્કાયતા છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)