મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ


SHARE







વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર વર્ષ ૨૦૧૩ થી ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા એક વૃધ્ધ અને એક આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા પુત્રની સામે બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં રહેતા હષૅદકુમાર મણીલાલ પરમાર જાતે વાણંદ (ઉ.૫૧) એ હાલમાં કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના દીકરા શાહરૂખ કાદરભાઈ કાસવાણી રહે. બંન્ને ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૩ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનમા અનઅધિકૃત રીતે જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કર્યો હતો અને પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી લીધું હતું આવી જ રીતે  પતાળીયા રોડ દીવાનપરા ખાતે રહેતા લલીતકુમાર જીવણભાઈ પુજારા જાતે લોહાણા (ઉ.૭૦)એ કાદરભાઈ અબુભાઈ કાસવાણી રહે. ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૪ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનના પ્લોટમાં દબાણ કરી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનુ છાપરૂ બનાવી નાખીને જમીનનો ઉપયોગ કરેલ છે આમ બંને ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News