હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ


SHARE

















વાંકાનેરમાં બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે બે વ્યક્તિના માલિકીના પ્લોટ ઉપર વર્ષ ૨૦૧૩ થી ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા એક વૃધ્ધ અને એક આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની જુદીજુદી બે ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા પુત્રની સામે બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં રહેતા હષૅદકુમાર મણીલાલ પરમાર જાતે વાણંદ (ઉ.૫૧) એ હાલમાં કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના દીકરા શાહરૂખ કાદરભાઈ કાસવાણી રહે. બંન્ને ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી વાંકાનેરમાં આવેલ ડો.દેલવાડીયાના દવાખાના પાસે તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૩ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનમા અનઅધિકૃત રીતે જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કર્યો હતો અને પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી લીધું હતું આવી જ રીતે  પતાળીયા રોડ દીવાનપરા ખાતે રહેતા લલીતકુમાર જીવણભાઈ પુજારા જાતે લોહાણા (ઉ.૭૦)એ કાદરભાઈ અબુભાઈ કાસવાણી રહે. ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૩ થી આજદીન સુધી તેની માલીકીના નવા વાંકાનેર ગામતળમા આવેલ સવૅ નંબર ૨૦૩ પૈકી -૧ મા માલીકીના નં-૪ ક્ષેત્રફળ ૨૦૦ ચો.વાર વાળી ખુલ્લી જમીનના પ્લોટમાં દબાણ કરી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનુ છાપરૂ બનાવી નાખીને જમીનનો ઉપયોગ કરેલ છે આમ બંને ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News