ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે.વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે.વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબજ હોય છે જે અન્વયે માધાપરવાડી કન્યા શાળાની સ્ટાફ દ્વારા ધો.૮ ની ૫૧ વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય સમારંભને યાદગાર બનાવવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી આઠ વર્ષ સુધી મેળવેલ શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા.વિદાય પામનાર ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ  બાળાઓ માટે રસ પુરીના ભાવતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.કન્યા શાળાના આચાર્ય  દિનેશભાઈ વડસોલાએ તથા ડી.ડી.બાવરવા તેમજ  શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીનીઓએ પણ પોતાની યાદી શાળામાં જળવાઈ રહે એ માટે પંખો અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યોં હતો.






Latest News