ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE

















મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે.વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે.વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબજ હોય છે જે અન્વયે માધાપરવાડી કન્યા શાળાની સ્ટાફ દ્વારા ધો.૮ ની ૫૧ વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય સમારંભને યાદગાર બનાવવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી આઠ વર્ષ સુધી મેળવેલ શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા.વિદાય પામનાર ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ  બાળાઓ માટે રસ પુરીના ભાવતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.કન્યા શાળાના આચાર્ય  દિનેશભાઈ વડસોલાએ તથા ડી.ડી.બાવરવા તેમજ  શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.વિદ્યાર્થીનીઓએ પણ પોતાની યાદી શાળામાં જળવાઈ રહે એ માટે પંખો અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યોં હતો.




Latest News