ગેસના ભાવ વધારાની અસર: મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો નિશ્ચિત
મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના કવાર્ટરમાં યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક યુવતીના ભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ જાદવ (ઉંમર ૨૩) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન લક્ષ્મીબેન ખીમજીભાઈ જાદવ (ઉંમર ૨૧) એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હોવા અંગેની જાણ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરી હતી અને મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ કેસની તપાસ કરતાં હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે, પરિવારજનો માઠા પ્રસંગમાં ગયા હતા તેની સાથે મૃતક યુવતીને પણ જવું હતું જો કે, ઘરના સભ્યોએ સાથે આવવાની ના કહી હતી જેથી ભાઈ અને બહેન બે ઘરે જ હતા ત્યારે યુવતીએ આપઘાત કરેલ છે
