મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે મિલીપાર્કમાંથી બાઇકની ચોરી 


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે મિલીપાર્કમાંથી બાઇકની ચોરી 

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મિલીપાર્કમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં ઘણા સમયથી બાઈક ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે બાઇક ચોરને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી હતી અને થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ચોરાઉ બાઉક સાથે કિશન રમેશભાઈ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી નજીક મહેન્દ્રનગર ગામ ખાતે આવેલ મિલી પાર્કમાં રહેતા ભાવેશભાઈ હરીભાઈ વાછાણી જાતે પટેલ (ઉંમર ૪૨) એ બાઇક ચોરીની ફરીયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, ગત તા. ૨૩/૪ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઇક નં- જીજે ૩ સિકયુ ૦૫૬૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કિશન રમેશભાઈ પટેલ નામના શખ્સે ચોરી કરી હતી જેથી હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર પાસે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા નાથાભાઈ બહાદુરભાઇ પરેચા નામના ૨૫ વર્ષીય યુવાને ઉંચી માંડલ કેનાલ પાસે દવા પી લેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા ગામે રહેતા શામજી પમાભાઈ રાઠોડ નામના ૪૩ વર્ષીય યુવાનને ગામમાં ખૂંટીયાએ હડફેટે લેતા ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ ટંકારા તાલુકાના હડમતીયા ગામના સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૩ વર્ષીય યુવાનને ખાનપર ગામના બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં અહીંની સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News