મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE







મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક સુમનબાળા જયંતીલાલ મહેતા કે, જેઓ સેવા, સમર્પણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ ધો.૮ ના વિદ્યાર્થીઓ કે, જેઓ અહીંની શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાના છે. તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હ આપી વિદાય આપવામાં આવી હતી.






Latest News