વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?


SHARE

















મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?

મોરબીન ટ્રાફિકના નિયમન સહિતની કામગીરી માટે પોલીસની સાથે ખભેખભા મિલાવીને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનો કામ કરી રહ્યા છે જો કે, તેને માસીક વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરીને તેનું માસિક વેતન વધારવવામાં આવે તેવી માંગ કરેલ છે 

મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીજ્ઞેશભાઇ પંડયાએ રાજયના મુખ્યમંત્રીને અરજ કરેલ છે કે રાજયના  એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનોને માસીક રૂા.૬૯૦૦ જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ઋતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે. તેની સામે સરકાર દ્રારા તેમની આવી કામગીરીની મજાક જેવો નજીવો પગાર ચુકવવામાં આવે છે..!

ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે જે ખડેપગે પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે તેમનાવતી અહીંમા સામાજીક કાર્યકરોએ રજુઆત કરેલ છે.જેથી તેઓની ફરજ પ્રમાણે વેતન મળી રહે તે જરૂરી છે કેમ કે આજે મોંધવારીમાં પણ તેઓ ભાડના મકાનોમાં રહીને આકરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતા હોય છે અને એક પણ રજા રાખતા નથી

આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. નો કેમ પગાર વધારો કેમ ન થાય ? તેવો પ્રશ્ન ગૃહમંત્રીને પૂછ્યો છે  અને તાકીદે આ રાજુયાતની નોંધ લઈને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના હીતમાં તાત્કાલી કરશે તેમ સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા અને મુસાભાઇ બ્લોચની માંગ છે અને આમ જનતા તથા સમગ્ર ગુજરાત વતી તેઓએ રજુઆત કરેલ હોય આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.




Latest News