મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?


SHARE











મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?

મોરબીન ટ્રાફિકના નિયમન સહિતની કામગીરી માટે પોલીસની સાથે ખભેખભા મિલાવીને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનો કામ કરી રહ્યા છે જો કે, તેને માસીક વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરીને તેનું માસિક વેતન વધારવવામાં આવે તેવી માંગ કરેલ છે 

મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીજ્ઞેશભાઇ પંડયાએ રાજયના મુખ્યમંત્રીને અરજ કરેલ છે કે રાજયના  એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનોને માસીક રૂા.૬૯૦૦ જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ઋતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે. તેની સામે સરકાર દ્રારા તેમની આવી કામગીરીની મજાક જેવો નજીવો પગાર ચુકવવામાં આવે છે..!

ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે જે ખડેપગે પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે તેમનાવતી અહીંમા સામાજીક કાર્યકરોએ રજુઆત કરેલ છે.જેથી તેઓની ફરજ પ્રમાણે વેતન મળી રહે તે જરૂરી છે કેમ કે આજે મોંધવારીમાં પણ તેઓ ભાડના મકાનોમાં રહીને આકરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતા હોય છે અને એક પણ રજા રાખતા નથી

આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. નો કેમ પગાર વધારો કેમ ન થાય ? તેવો પ્રશ્ન ગૃહમંત્રીને પૂછ્યો છે  અને તાકીદે આ રાજુયાતની નોંધ લઈને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના હીતમાં તાત્કાલી કરશે તેમ સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા અને મુસાભાઇ બ્લોચની માંગ છે અને આમ જનતા તથા સમગ્ર ગુજરાત વતી તેઓએ રજુઆત કરેલ હોય આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.






Latest News