ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?


SHARE













મોરબી જિલ્લામાં એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. જવાનોનો પગાર કેમ ન વધે ?

મોરબીન ટ્રાફિકના નિયમન સહિતની કામગીરી માટે પોલીસની સાથે ખભેખભા મિલાવીને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનો કામ કરી રહ્યા છે જો કે, તેને માસીક વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરીને તેનું માસિક વેતન વધારવવામાં આવે તેવી માંગ કરેલ છે 

મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીજ્ઞેશભાઇ પંડયાએ રાજયના મુખ્યમંત્રીને અરજ કરેલ છે કે રાજયના  એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના જવાનોને માસીક રૂા.૬૯૦૦ જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ઋતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે. તેની સામે સરકાર દ્રારા તેમની આવી કામગીરીની મજાક જેવો નજીવો પગાર ચુકવવામાં આવે છે..!

ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે જે ખડેપગે પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે તેમનાવતી અહીંમા સામાજીક કાર્યકરોએ રજુઆત કરેલ છે.જેથી તેઓની ફરજ પ્રમાણે વેતન મળી રહે તે જરૂરી છે કેમ કે આજે મોંધવારીમાં પણ તેઓ ભાડના મકાનોમાં રહીને આકરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતા હોય છે અને એક પણ રજા રાખતા નથી

આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. નો કેમ પગાર વધારો કેમ ન થાય ? તેવો પ્રશ્ન ગૃહમંત્રીને પૂછ્યો છે  અને તાકીદે આ રાજુયાતની નોંધ લઈને એસ.આર.ડી., જીઆર.ડી. અને ટી.આર.બી. ના હીતમાં તાત્કાલી કરશે તેમ સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા અને મુસાભાઇ બ્લોચની માંગ છે અને આમ જનતા તથા સમગ્ર ગુજરાત વતી તેઓએ રજુઆત કરેલ હોય આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.






Latest News