ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !


SHARE













મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા ગત ડિસેમ્બર માહિનામાં હુમલો કરવામાં આવેલ હતો અને કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જે બનાવમાં બીજા જ દિવસે ફરિયાદ નોંધાઈ હતી જો કે, આજની તારીખે લૂંટના આ ગુનામાં તપાસ ઠેરની ઠેર છે અને આરોપીઓ હજુ પણ પોળી પકડથી દૂર છે

વાંકાનરના ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામના કારખાના ભાગીદાર માથકિયા યુસુફભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ગત ડિસેમ્બર તા.૨૦ ના રોજ ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા યુસુફભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બે આરોપી તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છૂટયા હતા આ બનાવમાં આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.૩૯)એ અજાણ્યા બે ઇસમો સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી

 

આ ફરિયાદમાં તેને જણાવ્યુ હતું કેચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના પાસે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી ત્યારે બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપીને મોઢે બુકાની બાંધેલ હાલતમા બે શખ્સ આવ્યા હતા અને કારનો કાચ ધોકો મારીને ફોડયો હતો જેથી ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર કાર વાગ્યા હતા અને છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી ત્યાર બાદ કર્મા પડેલ હીસાબના ચોપડા અને ૨૭,૦૦,૦૦૦ ની રકમની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જેની બીજા જ દિવસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪૩૩૭૪૨૭૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જો કે, અફસોસ કે સાડા ચાર મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે તો પણ આજની તારીખ સુધી લૂંટના આ ગુનામાં આરોપીઓ પકડાયેલ નથી






Latest News