મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !


SHARE









મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા ગત ડિસેમ્બર માહિનામાં હુમલો કરવામાં આવેલ હતો અને કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જે બનાવમાં બીજા જ દિવસે ફરિયાદ નોંધાઈ હતી જો કે, આજની તારીખે લૂંટના આ ગુનામાં તપાસ ઠેરની ઠેર છે અને આરોપીઓ હજુ પણ પોળી પકડથી દૂર છે

વાંકાનરના ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામના કારખાના ભાગીદાર માથકિયા યુસુફભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ગત ડિસેમ્બર તા.૨૦ ના રોજ ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા યુસુફભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બે આરોપી તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છૂટયા હતા આ બનાવમાં આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.૩૯)એ અજાણ્યા બે ઇસમો સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી

 

આ ફરિયાદમાં તેને જણાવ્યુ હતું કેચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના પાસે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી ત્યારે બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપીને મોઢે બુકાની બાંધેલ હાલતમા બે શખ્સ આવ્યા હતા અને કારનો કાચ ધોકો મારીને ફોડયો હતો જેથી ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર કાર વાગ્યા હતા અને છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી ત્યાર બાદ કર્મા પડેલ હીસાબના ચોપડા અને ૨૭,૦૦,૦૦૦ ની રકમની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જેની બીજા જ દિવસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪૩૩૭૪૨૭૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જો કે, અફસોસ કે સાડા ચાર મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે તો પણ આજની તારીખ સુધી લૂંટના આ ગુનામાં આરોપીઓ પકડાયેલ નથી






Latest News