મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !


SHARE







મોરબી જીલ્લામાં થયેલ ૨૭ લાખની લૂંટનો ભેદ સાડા ચાર મહિના પછી પણ અકબંધ !

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા ગત ડિસેમ્બર માહિનામાં હુમલો કરવામાં આવેલ હતો અને કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જે બનાવમાં બીજા જ દિવસે ફરિયાદ નોંધાઈ હતી જો કે, આજની તારીખે લૂંટના આ ગુનામાં તપાસ ઠેરની ઠેર છે અને આરોપીઓ હજુ પણ પોળી પકડથી દૂર છે

વાંકાનરના ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામના કારખાના ભાગીદાર માથકિયા યુસુફભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ગત ડિસેમ્બર તા.૨૦ ના રોજ ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા યુસુફભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બે આરોપી તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છૂટયા હતા આ બનાવમાં આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.૩૯)એ અજાણ્યા બે ઇસમો સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી

 

આ ફરિયાદમાં તેને જણાવ્યુ હતું કેચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના પાસે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી ત્યારે બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપીને મોઢે બુકાની બાંધેલ હાલતમા બે શખ્સ આવ્યા હતા અને કારનો કાચ ધોકો મારીને ફોડયો હતો જેથી ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર કાર વાગ્યા હતા અને છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી ત્યાર બાદ કર્મા પડેલ હીસાબના ચોપડા અને ૨૭,૦૦,૦૦૦ ની રકમની લૂંટ કરીને આરોપીઓ નાશી ગયા હતા જેની બીજા જ દિવસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪૩૩૭૪૨૭૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જો કે, અફસોસ કે સાડા ચાર મહિના કરતાં વધુનો સમય વીતી ગયો છે તો પણ આજની તારીખ સુધી લૂંટના આ ગુનામાં આરોપીઓ પકડાયેલ નથી






Latest News