ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલને અમદાવાદના એક વ્યક્તિએ ૬.૩૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ કેસ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની માહિતી મુજબ મોરબીની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ સામે મોરબીની કોર્ટમાં ૬,૩૩,૨૫૧ નો ચેક રીર્ટન થયો હોવાની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરી હતી. જે કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા કરાયેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રત્નીવીર જવરામ શુકલ રહે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ કરવામાં આવેલ છે તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરવાં આવેલ છે અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ ચિરાગભાઈ ડી. કારીઆરવીભાઈ કે. કારીયાજગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.






Latest News