મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલને અમદાવાદના એક વ્યક્તિએ ૬.૩૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ કેસ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની માહિતી મુજબ મોરબીની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ સામે મોરબીની કોર્ટમાં ૬,૩૩,૨૫૧ નો ચેક રીર્ટન થયો હોવાની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરી હતી. જે કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા કરાયેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રત્નીવીર જવરામ શુકલ રહે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ કરવામાં આવેલ છે તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરવાં આવેલ છે અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ ચિરાગભાઈ ડી. કારીઆરવીભાઈ કે. કારીયાજગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.






Latest News