ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે


SHARE













મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે

મોરબીના લાલપર ગામ પાસે ઇન્ડુસ્ઇન્ડ બેન્કની શાખા આવેલ છે ત્યાં મૂકવામાં આવેલ એટીએમમાંથી નાણાકીય હેરફેરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન ૧૫ લાખની ઉચાપત હોવાનું સામે આવ્યું હતુ જેની ફરિયાદ આધારે પોલીસે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બંનનેને રિમાન્ડ ઉપર લીધા હતા જો કે, તે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, લાલપર પાસે ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર દ્રારા રૂપિયા ૧૫ લાખની બેંક સાથે ઉચાપત કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (૨૯) અને જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (૩૫) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઉચાપત કરેલ રકમ રિકવર કરવા માટે તજવીજ કરવામાં આવી હતી.જો કે, આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે મહિલા સહિતના બંને બેંક કર્મીઓને જેલ હવાલે કરવા હુકમ કરતા બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી વનરાજભાઈ માવજીભાઈ ડાંગર નામના ૨૭ વર્ષીય યુવાનને ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા વાહન અકસ્માતમાં માથા તેમજ પગના ભાગે ઈજા પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ફેમસ સીરામીક નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થતાં પાનેલી ગામના જયદીપ નાનજીભાઈ ચાવડા નામના યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.
 
કલોરોફોમ પી જતા સારવારમાં
 
મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો ૨૮ વર્ષીય યુવાન તેના ઘેર કોઈ કારણોસર ક્લોરોફોમ પી જતાં તેને સારવાર માટે બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા નીતાબેન અમૃતભાઈ હળવદિયા નામના ૫૪ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર એરંડાના બી ખાઈ લેતાં તેઓને પણ અસર થતા અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ હાઇવે ઉપર ટંકારાના વિરપર ગામ પાસે બા ની વાડીમાં મારામારી થઈ હતી જ્યાં ભમરાભાઇ તગાજીભાઇ વાંઝા નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.





Latest News