મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે


SHARE











મોરબીની બેંકમાંથી ૧૫ લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બંને બેંક કર્મીઓ જેલ હવાલે

મોરબીના લાલપર ગામ પાસે ઇન્ડુસ્ઇન્ડ બેન્કની શાખા આવેલ છે ત્યાં મૂકવામાં આવેલ એટીએમમાંથી નાણાકીય હેરફેરી કરવામાં આવતી હતી અને તપાસ દરમ્યાન ૧૫ લાખની ઉચાપત હોવાનું સામે આવ્યું હતુ જેની ફરિયાદ આધારે પોલીસે એટીએમ કસ્ટોડિયન એવા બેંકના મહિલા કર્મચારી સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બંનનેને રિમાન્ડ ઉપર લીધા હતા જો કે, તે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં ઇન્ડુસ્ઇન્ડ બેંકના કલ્સ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિક હરીશભાઇ માંકડએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, લાલપર પાસે ઈશાન સીરામીક ઝોનમાં આવેલ ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ કસ્ટોડિયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર દ્રારા રૂપિયા ૧૫ લાખની બેંક સાથે ઉચાપત કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે બેન્કના કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર જાતે સુથાર (૨૯) અને જીગ્નેશ ચંદુભાઈ માનસેતા જાતે લોહાણા (૩૫) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઉચાપત કરેલ રકમ રિકવર કરવા માટે તજવીજ કરવામાં આવી હતી.જો કે, આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે મહિલા સહિતના બંને બેંક કર્મીઓને જેલ હવાલે કરવા હુકમ કરતા બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી વનરાજભાઈ માવજીભાઈ ડાંગર નામના ૨૭ વર્ષીય યુવાનને ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા વાહન અકસ્માતમાં માથા તેમજ પગના ભાગે ઈજા પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ફેમસ સીરામીક નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થતાં પાનેલી ગામના જયદીપ નાનજીભાઈ ચાવડા નામના યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.
 
કલોરોફોમ પી જતા સારવારમાં
 
મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો ૨૮ વર્ષીય યુવાન તેના ઘેર કોઈ કારણોસર ક્લોરોફોમ પી જતાં તેને સારવાર માટે બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા નીતાબેન અમૃતભાઈ હળવદિયા નામના ૫૪ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર એરંડાના બી ખાઈ લેતાં તેઓને પણ અસર થતા અહિંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ હાઇવે ઉપર ટંકારાના વિરપર ગામ પાસે બા ની વાડીમાં મારામારી થઈ હતી જ્યાં ભમરાભાઇ તગાજીભાઇ વાંઝા નામના ૩૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.





Latest News