ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન


SHARE













મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન

મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના જાજાસર ગામે આવેસ જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે હોમ-હવન, બારપોરો પાટોત્સવ અને રામદેવ રામાયણના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ ના કથા પ્રારંભ થયેલ છે અને આગામી તા. ૧૬ ના રોજ કથા વિરામ લેશે.

જાજાસરના અલખધામ આશ્રમ ખાતે તા.૧૬ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણનો લાભ લઇ શકાશે.કથા દરમિયાન નંદ ઉત્સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્ય રામાંમંડળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં બાળ વિદુષી કથાકાર રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુ પુ.ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મોરબી) વ્યાસ આસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.હવન તા.૧૪ ને શનિવારથી તા.૧૬ને સોમવાર સુધી યોજાનાર હોય આ કથા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ શ્રધ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.






Latest News