મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન


SHARE











મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન

મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના જાજાસર ગામે આવેસ જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે હોમ-હવન, બારપોરો પાટોત્સવ અને રામદેવ રામાયણના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ ના કથા પ્રારંભ થયેલ છે અને આગામી તા. ૧૬ ના રોજ કથા વિરામ લેશે.

જાજાસરના અલખધામ આશ્રમ ખાતે તા.૧૬ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણનો લાભ લઇ શકાશે.કથા દરમિયાન નંદ ઉત્સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્ય રામાંમંડળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં બાળ વિદુષી કથાકાર રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુ પુ.ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મોરબી) વ્યાસ આસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.હવન તા.૧૪ ને શનિવારથી તા.૧૬ને સોમવાર સુધી યોજાનાર હોય આ કથા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ શ્રધ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.






Latest News