સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન


SHARE

















મોરબી : જાજાસર ગામે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે રામદેવ રામાયણ અને પાટોત્સવનું આયોજન

મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાના જાજાસર ગામે આવેસ જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમે મંદિરના જીર્ણોધ્ધાર નિમિતે હોમ-હવન, બારપોરો પાટોત્સવ અને રામદેવ રામાયણના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ ના કથા પ્રારંભ થયેલ છે અને આગામી તા. ૧૬ ના રોજ કથા વિરામ લેશે.

જાજાસરના અલખધામ આશ્રમ ખાતે તા.૧૬ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણનો લાભ લઇ શકાશે.કથા દરમિયાન નંદ ઉત્સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્ય રામાંમંડળ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં બાળ વિદુષી કથાકાર રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુ પુ.ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મોરબી) વ્યાસ આસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.હવન તા.૧૪ ને શનિવારથી તા.૧૬ને સોમવાર સુધી યોજાનાર હોય આ કથા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ શ્રધ્ધાળુઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.




Latest News