મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE











મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના આદીવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇસમ અપહરણ કરી જતા ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ છોટાઉદેપુરના અંબાલાના ગ્રામ્ય વિસ્તારનો આદિવાસી પરિવાર મજૂરી સબબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા જુની પીપળી ગામે આવ્યો હતો અને અહીં ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને જાતીય સતામણી કરવાના ઈરાદે ભાવેશ રાજુભાઈ રાવત રહે.મેન્દ્રા ટંકરાફળીયુ દેવગઢ બારીયા દાહોદ વાળો અપહરણ કરી ગયો હતો જેથી કરીને હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ભાવેશ રાજૂ રાવત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરાને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગળે ફાંસો લાગી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રણછોડનગર પાસે આવેલ વિજયનગરમાં રહેતા રામજીભાઈ દેવશીભાઇ ભરવાડ નામના ૨૦ વર્ષના યુવાનને ગળેફાંસો આવી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે રામજીભાઈ ભરવાડ નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં વાછડીને દોરડું બાંધેલું હોય અને તે દોરડું ગળામાં સલવાઇ જતા અને વાંછડી તેને આંટો ફરી જતાં ગળેટુંપો આવી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News