મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીના જૂની પીપળી ગામ પાસેથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના આદીવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે એક ઇસમ અપહરણ કરી જતા ભોગ બનેલી સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ છોટાઉદેપુરના અંબાલાના ગ્રામ્ય વિસ્તારનો આદિવાસી પરિવાર મજૂરી સબબ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા જુની પીપળી ગામે આવ્યો હતો અને અહીં ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને જાતીય સતામણી કરવાના ઈરાદે ભાવેશ રાજુભાઈ રાવત રહે.મેન્દ્રા ટંકરાફળીયુ દેવગઢ બારીયા દાહોદ વાળો અપહરણ કરી ગયો હતો જેથી કરીને હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ ભાવેશ રાજૂ રાવત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલી સગીરાને શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગળે ફાંસો લાગી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રણછોડનગર પાસે આવેલ વિજયનગરમાં રહેતા રામજીભાઈ દેવશીભાઇ ભરવાડ નામના ૨૦ વર્ષના યુવાનને ગળેફાંસો આવી જતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોય બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યુ હતુ કે રામજીભાઈ ભરવાડ નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યાં વાછડીને દોરડું બાંધેલું હોય અને તે દોરડું ગળામાં સલવાઇ જતા અને વાંછડી તેને આંટો ફરી જતાં ગળેટુંપો આવી ગયો હતો અને જેથી કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News