સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ


SHARE

















મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ

કચ્છના આશાપુરા માતાના મઢ ખાતેથી એકતા યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં વિવિધ મંદિરોની જ્યોત લઇને એકતા યાત્રા જુદા જુદા જિલ્લાઓમાં ફરીને અંતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થવાની હોય અને આ યાત્રા આવતીકાલ તા.૧૨ ના ચારેક વાગ્યે વાંકાનેર બાદ મોરબી પ્રવેશવાની હોય તેને લઈને મોરબી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આવનાર યાત્રાના સ્વાગત કરવા માટે ઠેરઠેર અનેક આયોજનો કરવામાં આવેલા છે.

તારીખ ૧-૫ ના રોજ શરૂ થયેલી એકતા યાત્રા તારીખ ૧૬-૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે તે દરમિયાન આવતીકાલ તારીખ ૧૨ ના રોજ યાત્રા મોરબી આવવાની હોય તેને સત્કારવા માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેમાં આવતીકાલ તારીખ ૧૨ ના સાંજે ચારેક વાગ્યે સર્કિટ હાઉસ ખાતેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર એકતા યાત્રા નીકળશે અને તે દરમિયાન રસ્તામાં આવતા વિવિધ મહાપુરુષો અને શહીદોની પ્રતિમા ખાતે હારતોરા કરવામાં આવશે ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ તલવારબાજીના કરતબ પણ યોજવામાં આવેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા સહિતનાઓ તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી રાજપૂત કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી હતી.જેમા મહારાણા પ્રતાપજીની પ્રતીમાને ફૂલહાર કરી તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો તેમજ રાજપૂત સમાજના હોદેદારો અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.




Latest News