મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ


SHARE











મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ

કચ્છના આશાપુરા માતાના મઢ ખાતેથી એકતા યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં વિવિધ મંદિરોની જ્યોત લઇને એકતા યાત્રા જુદા જુદા જિલ્લાઓમાં ફરીને અંતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થવાની હોય અને આ યાત્રા આવતીકાલ તા.૧૨ ના ચારેક વાગ્યે વાંકાનેર બાદ મોરબી પ્રવેશવાની હોય તેને લઈને મોરબી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આવનાર યાત્રાના સ્વાગત કરવા માટે ઠેરઠેર અનેક આયોજનો કરવામાં આવેલા છે.

તારીખ ૧-૫ ના રોજ શરૂ થયેલી એકતા યાત્રા તારીખ ૧૬-૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે તે દરમિયાન આવતીકાલ તારીખ ૧૨ ના રોજ યાત્રા મોરબી આવવાની હોય તેને સત્કારવા માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેમાં આવતીકાલ તારીખ ૧૨ ના સાંજે ચારેક વાગ્યે સર્કિટ હાઉસ ખાતેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર એકતા યાત્રા નીકળશે અને તે દરમિયાન રસ્તામાં આવતા વિવિધ મહાપુરુષો અને શહીદોની પ્રતિમા ખાતે હારતોરા કરવામાં આવશે ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ તલવારબાજીના કરતબ પણ યોજવામાં આવેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા સહિતનાઓ તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી રાજપૂત કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી હતી.જેમા મહારાણા પ્રતાપજીની પ્રતીમાને ફૂલહાર કરી તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો તેમજ રાજપૂત સમાજના હોદેદારો અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.






Latest News