ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ


SHARE













મોરબીમાં કાલે આવનાર એકતા યાત્રા માટે કરણી સેના દ્વારા તડામાર તૈયારીઓ

કચ્છના આશાપુરા માતાના મઢ ખાતેથી એકતા યાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં વિવિધ મંદિરોની જ્યોત લઇને એકતા યાત્રા જુદા જુદા જિલ્લાઓમાં ફરીને અંતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થવાની હોય અને આ યાત્રા આવતીકાલ તા.૧૨ ના ચારેક વાગ્યે વાંકાનેર બાદ મોરબી પ્રવેશવાની હોય તેને લઈને મોરબી રાજપૂત કરણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આવનાર યાત્રાના સ્વાગત કરવા માટે ઠેરઠેર અનેક આયોજનો કરવામાં આવેલા છે.

તારીખ ૧-૫ ના રોજ શરૂ થયેલી એકતા યાત્રા તારીખ ૧૬-૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે તે દરમિયાન આવતીકાલ તારીખ ૧૨ ના રોજ યાત્રા મોરબી આવવાની હોય તેને સત્કારવા માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.જેમાં આવતીકાલ તારીખ ૧૨ ના સાંજે ચારેક વાગ્યે સર્કિટ હાઉસ ખાતેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર એકતા યાત્રા નીકળશે અને તે દરમિયાન રસ્તામાં આવતા વિવિધ મહાપુરુષો અને શહીદોની પ્રતિમા ખાતે હારતોરા કરવામાં આવશે ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથોસાથ તલવારબાજીના કરતબ પણ યોજવામાં આવેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા સહિતનાઓ તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ શ્રી રાજપૂત કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી હતી.જેમા મહારાણા પ્રતાપજીની પ્રતીમાને ફૂલહાર કરી તેમજ કેસરિયો ધ્વજ લહેરાવી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારો તેમજ રાજપૂત સમાજના હોદેદારો અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.






Latest News