સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લગ્નની ૩૬ મી વર્ષગાંઠ ઉજવી


SHARE

















મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લગ્નની ૩૬ મી વર્ષગાંઠ ઉજવી

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબી ત્રાજપર ચોકડી સ્થિત એસ્સાર પેટ્રોલ પંપ તથા શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમના માલીક મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા તથા શ્રીમતિ પ્રભાબેન મંગળજીભાઈ સુવાગીયાએ પોતાના લગ્નની ૩૬ મી વર્ષગાંઠ આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવી હતી.આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હાથે ભોજન પ્રસાદ પીરસી પૂ.જલારામ બાપાના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે આધુનિક સમયમા સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ લગ્નદીન સહીતના શુભ પ્રસંગો મોજશોખ વાળી વૈભવી પાર્ટીઓ દ્વારા ઉજવી નાણાકીય વ્યય કરી રહ્યા હોય છે ત્યારે મોરબીના સુવાગીયા પરિવારના મોભી દ્વારા પોતાના લગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સમાજને એક નવી રાહ દર્શાવી છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, મનિષભાઈ પટેલ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ લગ્નદીનની શુભેચ્છા પાઠવી હતી.




Latest News