ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના પ્રશ્નો આપ ઉકેલી શકે નહીં: પ્રમુખનો ખુલાસો


SHARE













મોરબી સિરામીક એસો.ના પ્રશ્નો આપ ઉકેલી શકે નહીં: પ્રમુખનો ખુલાસો

રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સીરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવા સમાચાર બાદ હાલમાં મોરબી સિરામીક એસો.ના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખુલાસો

કરવામાં આવેલ છે કે, વર્તમાન કોઈપણ હોદેદાર આપમાં ગયા નથી અને આપની કેન્દ્ર કે રાજયમાં સરકાર ન હોવાથી તે સિરામિક એસો.ના પ્રશ્નને ઉકેલી શકે નહીં માટે ત્યાં રજૂઆત કરવા જવાનો કોઈ મતલબ નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે મિટિંગ રાખવામા આવી હતી તેના માટે મોરબી સિરામીક એસો.ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે, વર્તમાન પ્રમુખ કે કોઈ હોદેદાર ત્યાં ગયેલ નથી અને સિરામિક એસો. માજી પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવા સમાચાર આવેલ હતા ત્યાર બાદ આજે મોરબી સિરામીક એસો. ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટીની કેન્દ્રમાં કે રાજયમાં સરકાર નથી જેથી તે સિરામિક એસો.ના પ્રશ્ન ઉકેલી શકે નહિ માટે તેને રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી અને વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સિરામિક એસો.ના પ્રશ્ન ઉલેકવામાં માટે તમામ સહકાર આપવામાં આવી રહ્યો છે 






Latest News