ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો

માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા આધેડની દીકરીને ભગાડી જઈને લગ્ન કરી લેનારા યુવાનના ઘરે જઈને દીકરીના પિતાએ તેઓની દીકરીને છુટાછેડા કરાવીને પરત સોંપી આપવા કહ્યું હતું ત્યારે દીકરીના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતા જેથી તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા જાતે અનુજાતી (ઉ.૫૦)એ અમ્રુતભાઇ પરમાર, અમ્રુતભાઇની પત્ની, અમ્રુતભાઇનો મોટો દિકરો, અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના બીજા નાના ભાઇ રહેબધા વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યાના અરશામા મોરબીના વાઘપરા શેરી નં-૮ મા આરોપી અમ્રુતભાઇના રહેણાંક મકાન પાસે જાહેર શેરીમા અમ્રુતભાઇના દીકરા ધીરેન ફરીયાદીની દિકરી મીનાને ભગાડીને લઈ ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લીધેલ છે જે બાબતે ફરીયાદી તથા સાહેદો અમ્રુતભાઇના ઘરે પોતાની દિકરી મીનાને છુટાછેડા કરાવી પરત સોંપી આપવા માટે સમજાવા ગયા હતા ત્યારે તમામ આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી તથા સાહેદોને તેમના રહેણાંક મકાનની બહાર કાઢી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૧૪૩ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ)૩(૨) (૫) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News