સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો


SHARE

















મોરબીમાં દીકરીને ભગાડી ગયેલા યુવાનના પરિવારને સમજાવવા ગયેલા પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગુનો નોંધાયો

માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા આધેડની દીકરીને ભગાડી જઈને લગ્ન કરી લેનારા યુવાનના ઘરે જઈને દીકરીના પિતાએ તેઓની દીકરીને છુટાછેડા કરાવીને પરત સોંપી આપવા કહ્યું હતું ત્યારે દીકરીના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતા જેથી તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા જાતે અનુજાતી (ઉ.૫૦)એ અમ્રુતભાઇ પરમાર, અમ્રુતભાઇની પત્ની, અમ્રુતભાઇનો મોટો દિકરો, અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના બીજા નાના ભાઇ રહેબધા વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યાના અરશામા મોરબીના વાઘપરા શેરી નં-૮ મા આરોપી અમ્રુતભાઇના રહેણાંક મકાન પાસે જાહેર શેરીમા અમ્રુતભાઇના દીકરા ધીરેન ફરીયાદીની દિકરી મીનાને ભગાડીને લઈ ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લીધેલ છે જે બાબતે ફરીયાદી તથા સાહેદો અમ્રુતભાઇના ઘરે પોતાની દિકરી મીનાને છુટાછેડા કરાવી પરત સોંપી આપવા માટે સમજાવા ગયા હતા ત્યારે તમામ આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી તથા સાહેદોને તેમના રહેણાંક મકાનની બહાર કાઢી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૧૪૩ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ)૩(૨) (૫) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News