વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી


SHARE

















મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી

તાજેતરમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર આવ્યું છે અને છેલ્લાં પાંચ વરસથી આ સ્કૂલનું સાયન્સનું પરિણામ ખૂબ જ સારું આવે છે. ત્યારે આ વર્ષે નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ ૮૯.૬૫ ટકા આવેલ છે અને ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

મોરબીમાં રિઝલ્ટના રાજા તરીકે નવયુગ સાયન્સ સ્કૂલ જાણીતી છે ત્યારે તાજેતરમાં જે ધો.૧૨ સાયન્સનું પરિણામ આવેલ છે તેમાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ અને કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૭ વિદ્યાર્થીઓએ પણ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટના રિઝલ્ટમા નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે અને કુલ સાત વિદ્યાર્થીઓ ૧૦૦થી વધુ માર્ક મેળવીને પાસ થયેલ છે અને ૨૧ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. જેથી કરીને સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News