ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી


SHARE













મોરબીની નવયુગ સ્કૂલનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૮૯.૬૫ ટકા: A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થી

તાજેતરમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર આવ્યું છે અને છેલ્લાં પાંચ વરસથી આ સ્કૂલનું સાયન્સનું પરિણામ ખૂબ જ સારું આવે છે. ત્યારે આ વર્ષે નવયુગ સાયન્સ સ્કૂલનું પરિણામ ૮૯.૬૫ ટકા આવેલ છે અને ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

મોરબીમાં રિઝલ્ટના રાજા તરીકે નવયુગ સાયન્સ સ્કૂલ જાણીતી છે ત્યારે તાજેતરમાં જે ધો.૧૨ સાયન્સનું પરિણામ આવેલ છે તેમાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ અને કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૭ વિદ્યાર્થીઓએ પણ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટના રિઝલ્ટમા નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે અને કુલ સાત વિદ્યાર્થીઓ ૧૦૦થી વધુ માર્ક મેળવીને પાસ થયેલ છે અને ૨૧ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા છે. જેથી કરીને સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News