ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં અકસ્માત મૃત્યુના કેસમાં વીમા કંપનીને પાંચ લાખ રૂપિયા છ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ભગોળી વાડીમાં રહેતા અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિના અકસ્માતનો કેસ ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ સામે દાખલ કરેલ હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને રૂપિયા પાંચ લાખ ત્રણ વર્ષના છ ટકાનાં વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.

મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રવાપરાના વતની અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિ શાંતિલાલભાઇનું ચોટીલા જતા રસ્તામાં મોટરસાઇકલ સ્લીપ થતા મૃત્યુ થયેલ હતુ. અને ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપનીએ વીમો ચુકવવાનીના પાડી દેતા અનસોયાબેને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીસનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહકે કોર્ટ દ્વારા ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપનીને અનસોયાબેનને રૂપિયા પાંચ લાખ ત્રણ વર્ષના છ ટકા વ્યાજ લેખે ચુકવવાનો હુકમ કરેલ છે. ગ્રાહકે પોતાના હકહિત માટે લડવું જોઇએ. કોરોના ગયા પછી વિમા કંપની મેડીકલેઇમ કે અન્ય વિમા આપવામાં હાથ ઉંચા કરી રહી છે. તેવી ફરીયાદ આવે છે. અને ગ્રાહકે પોતાના હક માટે ગમે ત્યારે સંપર્ક કરી શકે છે તે માટે મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) અથવા રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણી (૦૨૮૧- ૨૪૭૧૧૨૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News