ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત


SHARE













મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા આધેડે ગળેફાસો ખાઇ લેતાં તેમની ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓએ લીધેલા મકાનના પૈસા ચૂકવવાના હોય અને તે બાબતના ટેન્શનને લઈને તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉમર ૨૦) નામના યુવાને પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે તેમના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) એ નવલખી રોડ ઉપર ઇશ્વરીયા મહાદેવના રસ્તે રેલ્વેના ફાટક નજીક વીજ પોલ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેઓના પિતા કિશોરભાઇ પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કિશોરભાઈએ મકાન લીધું હોય અને તેના પેમેન્ટના હપ્તા ચૂકવવાના થતા હોય તેના ટેન્શનમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજ્યું હતું.

ઝેરી દવા પી લેતા સારવારમાં

વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના જયંતીભાઈ ગોવિંદભાઈ બાવળીયા નામના ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની અમૃતવાટિકા સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ ગામા નામના ૩૬ વર્ષીય યુવાન કાર લઈને જતા હતા ત્યારે તેઓની કાર ટ્રેક્ટર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં નરેન્દ્રભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવજીભાઈ ડાયાભાઈ વાઘેલા નામના ૭૦ વર્ષીય વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના રાજપર ગામે આસ્થા હસમુખભાઈ ધોળકિયા નામની આઠ વર્ષીય બાળકી ઘર પાસે સાયકલ લઇને રમી રહી હતી તે દરમ્યાન સાયકલમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.






Latest News