મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી


SHARE











ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી જેથી તેને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તેને તજવીજ હાથ ધરી છે

મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ નજીક અનસ હોટલની બાજુમાં આજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળી હતી અને તેના મૃતદેહને ઇરફાનભાઈ ઇસ્માઇલભાઇ રહે. ટંકારા વાળા સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃત્યુ પામેલા વૃદ્ધની ઓળખ મેળવવા માટે થઈને ટંકારા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે 

મહિલા મળી આવી

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મનસુખભાઇ બાબુભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૩૨)એ ગત તા. ૨૮/૫/૨૦૨૦ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની નિમુબેન મનસુખભાઈ ડાભી (૩૦) ગુમ થઇ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ મહિલા મળી આવી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નિમુબેનને તેનો પતિ મનસુખભાઈ માનસિક ત્રાસ આપતો હતો જેથી કંટાળી ગયેલા નીમુબેન ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા અને રખડતું ભટકતું જીવન જીવતા હતા અને ત્યાર બાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ પોતાના માવતરે નવા ઝીંઝુડા સોલંકી નગર ગામે જતા રહ્યા હતા અને તેણે કઈ તા. ૩૦/૪/૨૦૨૧ ના રોજ પોતાના મનસુખભાઈ બાલુભાઈ ડાભી સાથે છૂટાછેડા લઈ લીધા છે અને ત્યારબાદ સાકરીયા ગામે રહેતા રોહિતભાઈ સવધાનભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે






Latest News