મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી


SHARE











ટંકારાની અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અનસ હોટલ પાસેથી અજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી જેથી તેને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તેને તજવીજ હાથ ધરી છે

મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ નજીક અનસ હોટલની બાજુમાં આજાણ્યા ૬૦ વર્ષના વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળી હતી અને તેના મૃતદેહને ઇરફાનભાઈ ઇસ્માઇલભાઇ રહે. ટંકારા વાળા સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃત્યુ પામેલા વૃદ્ધની ઓળખ મેળવવા માટે થઈને ટંકારા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે 

મહિલા મળી આવી

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા મનસુખભાઇ બાબુભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૩૨)એ ગત તા. ૨૮/૫/૨૦૨૦ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની નિમુબેન મનસુખભાઈ ડાભી (૩૦) ગુમ થઇ ગયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ મહિલા મળી આવી છે અને પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નિમુબેનને તેનો પતિ મનસુખભાઈ માનસિક ત્રાસ આપતો હતો જેથી કંટાળી ગયેલા નીમુબેન ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા અને રખડતું ભટકતું જીવન જીવતા હતા અને ત્યાર બાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ પોતાના માવતરે નવા ઝીંઝુડા સોલંકી નગર ગામે જતા રહ્યા હતા અને તેણે કઈ તા. ૩૦/૪/૨૦૨૧ ના રોજ પોતાના મનસુખભાઈ બાલુભાઈ ડાભી સાથે છૂટાછેડા લઈ લીધા છે અને ત્યારબાદ સાકરીયા ગામે રહેતા રોહિતભાઈ સવધાનભાઈ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે






Latest News