મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન


SHARE











 

વાંકાનેરનાં લુણસર ગામે વસિયાણી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામે કાલે મંગળવારે ખોડીયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો રાખવામા આવેલ છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવા વસિયાણી પરિવાર દ્વારા રાખવામા આવેલ છે અને તા.૧૭ ને મંગળવારે વસીયાણી પરિવારના ૩૦ નવદંપતી સાતક બેસશે. તેમજ સાંજે ૬ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને મંગળવારની રાત્રે ડાકની રમઝટ રાખવામા આવી છે જેમાં જીવરાજભાઈ કુઢીયા ડાક કલાકાર દ્વારા માતાજીના પરચાનું રસપાન કરાવવામાં આવશે અને વધુ માહિતી માટે ૮૨૦૦૦ ૮૬૮૪૨, ૯૯૭૪૧ ૮૮૦૮૮ અને ૯૭૨૪૯ ૨૫૪૪૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News