ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી


SHARE













મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે જેને રોકવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ બદલી અટકાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ત્રાજપર, માળીયા વનાળીયા ગામના લોકો વતી ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો પંચાયત ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તેના તલાટી ક્રમ મંત્રી વી.એસ.ચંદ્રાલાની બદલી રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૭ ના રોજ તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે તેને રોકવા માટે અગાઉ આવેદન પત્ર આપેલ હતું. પરંતુ કોઈ જવાબ મળેલ નથી જેથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા વનાળીયા ગ્રામ પંચાયત વતી વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વી.એસ.ચંદ્રાલાની બદલી જો સાત દિવસમાં રોકવામાં નહીં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોને સાથે રાખીને પંચાયતને તાળાબંધી કરવામાં આવશે






Latest News