સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી


SHARE

















મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે જેને રોકવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ બદલી અટકાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ત્રાજપર, માળીયા વનાળીયા ગામના લોકો વતી ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો પંચાયત ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તેના તલાટી ક્રમ મંત્રી વી.એસ.ચંદ્રાલાની બદલી રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૭ ના રોજ તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે તેને રોકવા માટે અગાઉ આવેદન પત્ર આપેલ હતું. પરંતુ કોઈ જવાબ મળેલ નથી જેથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા વનાળીયા ગ્રામ પંચાયત વતી વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વી.એસ.ચંદ્રાલાની બદલી જો સાત દિવસમાં રોકવામાં નહીં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોને સાથે રાખીને પંચાયતને તાળાબંધી કરવામાં આવશે




Latest News