મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી


SHARE











મોરબીની ત્રાજપર પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી ન અટકે તો તાળાબંધીની ચીમકી

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે જેને રોકવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો પણ બદલી અટકાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ત્રાજપર, માળીયા વનાળીયા ગામના લોકો વતી ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને જો બદલી રોકવામાં નહીં આવે તો પંચાયત ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તેના તલાટી ક્રમ મંત્રી વી.એસ.ચંદ્રાલાની બદલી રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૭ ના રોજ તલાટીકમ મંત્રીની બદલી કરવામાં આવી છે તેને રોકવા માટે અગાઉ આવેદન પત્ર આપેલ હતું. પરંતુ કોઈ જવાબ મળેલ નથી જેથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા વનાળીયા ગ્રામ પંચાયત વતી વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વી.એસ.ચંદ્રાલાની બદલી જો સાત દિવસમાં રોકવામાં નહીં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોને સાથે રાખીને પંચાયતને તાળાબંધી કરવામાં આવશે






Latest News