મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન


SHARE











ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન

ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ ૧૬૦૦ કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને તા ૧૪ મે ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે ૮:૩૦ વાગ્યે શરૂ થયેલ આ સાયકલ યાત્રા ૩૦ મે સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું, દરિયા કિનારાના  પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી,સામગ્રી એકત્રિત કરવી તેવા છે આ યાત્રામાં જોડાવા માટે  અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે મિલન રાવલ (9016982199) અને શૈલેન્દ્રસિંહ ગોહિલ (9016166584) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News