ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન


SHARE













ભાવનગરના બે શિક્ષકો દ્વારા સાયકલિંગને પ્રમોટ કરવા અને જન જાગૃતિ માટે અનોખુ અભિયાન

ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ ૧૬૦૦ કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને તા ૧૪ મે ના રોજ કોટેશ્વર (કચ્છ) થી રાત્રે ૮:૩૦ વાગ્યે શરૂ થયેલ આ સાયકલ યાત્રા ૩૦ મે સુધી ચાલશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવું, દરિયા કિનારાના  પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી,સામગ્રી એકત્રિત કરવી તેવા છે આ યાત્રામાં જોડાવા માટે  અથવા આર્થિક કે અન્ય કોઈ સહયોગ આપવા માટે મિલન રાવલ (9016982199) અને શૈલેન્દ્રસિંહ ગોહિલ (9016166584) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News