ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત


SHARE







મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત

મોરબી જિલ્લો બન્યો તેને ઘણા વર્ષો થાય છે તો પણ આજની તારીખે વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર મોરબી જીલ્લામાં કાર્યરત કરવામાં આવેલ નથી જેથી કરીને અહીના ઉદ્યોગકારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખન કિશોરભાઇ ચિખલિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, નાણા વિભાગ ગાંધીનગરના તા. ૩૦/૯/૨૧ ના જાહેરનામા અન્વયે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-૧  તથા સંયુક્ત રાજ્ય કમિશનર વિવાદ-૨ નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. અને મોરબીનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી અહીંના ઉદ્યોગકારોને હાલાકીનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં સિરામિક, ઘડિયાળ, પોલિપેક વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ અંદાજે ૧૨ હજાર કરોડનું છે આ એક્સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ એસજીએસટીની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને ગાંધીધામના ધક્કા થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કમિશનરની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડ કવાર્ટર થાય તેવી માંગ કરી છે અને નાયબ રાજ્ય કરવેરા કમિશનરની ૯૦ ટકા કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ એસજીએસટી કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ જવું પરવડે તેમ નથી આ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ૩૦૦૦ થી વધુ ઉદ્યોગો મળી આશરે ૫૦ હજાર કરોડનું ટર્નઓવર થાય છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને આશરે ૧૭૦૦ કરોડનો આ જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના ઉદ્યોગકારોની સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News