ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત


SHARE













મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત

મોરબી જિલ્લો બન્યો તેને ઘણા વર્ષો થાય છે તો પણ આજની તારીખે વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર મોરબી જીલ્લામાં કાર્યરત કરવામાં આવેલ નથી જેથી કરીને અહીના ઉદ્યોગકારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખન કિશોરભાઇ ચિખલિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, નાણા વિભાગ ગાંધીનગરના તા. ૩૦/૯/૨૧ ના જાહેરનામા અન્વયે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-૧  તથા સંયુક્ત રાજ્ય કમિશનર વિવાદ-૨ નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. અને મોરબીનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી અહીંના ઉદ્યોગકારોને હાલાકીનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં સિરામિક, ઘડિયાળ, પોલિપેક વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ અંદાજે ૧૨ હજાર કરોડનું છે આ એક્સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ એસજીએસટીની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને ગાંધીધામના ધક્કા થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કમિશનરની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડ કવાર્ટર થાય તેવી માંગ કરી છે અને નાયબ રાજ્ય કરવેરા કમિશનરની ૯૦ ટકા કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ એસજીએસટી કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ જવું પરવડે તેમ નથી આ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ૩૦૦૦ થી વધુ ઉદ્યોગો મળી આશરે ૫૦ હજાર કરોડનું ટર્નઓવર થાય છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને આશરે ૧૭૦૦ કરોડનો આ જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના ઉદ્યોગકારોની સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News