મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત


SHARE











મોરબીમાં વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર આપવા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની સીએમને રજૂઆત

મોરબી જિલ્લો બન્યો તેને ઘણા વર્ષો થાય છે તો પણ આજની તારીખે વેરા કમિશનરની કચેરીનું હેડ ક્વાર્ટર મોરબી જીલ્લામાં કાર્યરત કરવામાં આવેલ નથી જેથી કરીને અહીના ઉદ્યોગકારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખન કિશોરભાઇ ચિખલિયાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, નાણા વિભાગ ગાંધીનગરના તા. ૩૦/૯/૨૧ ના જાહેરનામા અન્વયે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-૧  તથા સંયુક્ત રાજ્ય કમિશનર વિવાદ-૨ નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. અને મોરબીનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી અહીંના ઉદ્યોગકારોને હાલાકીનો સામનો કરવો પડે તેવો ઘાટ સર્જાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં સિરામિક, ઘડિયાળ, પોલિપેક વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ અંદાજે ૧૨ હજાર કરોડનું છે આ એક્સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ એસજીએસટીની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને ગાંધીધામના ધક્કા થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કમિશનરની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડ કવાર્ટર થાય તેવી માંગ કરી છે અને નાયબ રાજ્ય કરવેરા કમિશનરની ૯૦ ટકા કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ એસજીએસટી કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ જવું પરવડે તેમ નથી આ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ૩૦૦૦ થી વધુ ઉદ્યોગો મળી આશરે ૫૦ હજાર કરોડનું ટર્નઓવર થાય છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને આશરે ૧૭૦૦ કરોડનો આ જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના ઉદ્યોગકારોની સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News