મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત


SHARE

















મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કોળી પરિવારની સગીર વયની દીકરી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને સગીરાનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવી હતી અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામની પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ દેથરીયા જાતે કોળીની ૧૫ વર્ષીય દીકરી શોભનાબેન ગઈકાલ તા.૧૮-૫ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને તેણીનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે અહીં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ફરજ પરના તબીબ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલ બનાવ અંગે નોંધ કરી છે અને કયા કારણોસર મૃતક શોભનાબેન નારણભાઈ દેથરીયા જાતે કોળી નામની ૧૫ વર્ષીય સગીરાએ અંતિમ પગલું ભર્યું છે..? એ દિશામાં હાલમાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મેમણ શેરી વિસ્તારમાં રહેતી અમીનાબેન જાવેદજા શાહમદાર જાતે ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર મારામારીના બનાવવા ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી બનાવને પગલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેતા ખુલ્યો હતુ કે અમીનાબેન પોતાના પિતાની સાથે રહે છે અને માતા અલગ રહે છે દરમિયાન માતાના ઘેર જતાં તે વાતને લઈને પિતાએ જ ગુસ્સે થઇને તેણીને માર માર્યો હતો..!

જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રહેતા જીજ્ઞાબા મહાવીરસિંહ ઝાલા નામની ૩૫ વર્ષીય મહિલા ફિનાઇલ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે જીજ્ઞાબાના લગ્નને સાતેક વર્ષ થયા હોય પરંતુ હાલ તેઓને સંતાન ન હોય તે બાબતનું મનમા લાગી આવવાથી વિચારવાયુ થઈ જતાં તેમને ઉપરોક્ત પગલું ભર્યું હતું.




Latest News