મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે
SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ યોજાશે
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આગામી તા ૨૯ ના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે ત્યારે સંતો મહંતો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહેશે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨૯ ને રવિવારના રોજ સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામા આવેલ છે જેમાં આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) વિધિ કરાવશે અને સવારે ૭:૩૦ કલાકે પૂજા, ૧૨ કલાકે ગોરણી જમણવાર, ૨:૩૦ કલાકે રાંદલમાંના ગરબાનું આયોજન કરેલ છે. આ તકે સંતો મહંતો, આગેવાનો સહિતના હાજર રહેશે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ કિરણબેન સી. ઠાકર, ઉપપ્રમુખ દર્શનાબેન ભટ્ટ, પારૂલબેન ત્રિવેદી, ચેતનાબેન જોષી, ગીતાબેન ગામોટ, રીધ્ધીબેન ત્રિવેદી, તૃપ્તીબેન ત્રિવેદી, દર્શનાબેન જોષી, હીનાબેન પંડયા, નીલાબેન પંડિત, માનસીબેન શર્મા અને ભાવનાબેન મહેતાએ નિમંત્રણ આપ્યું છે.
