મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન
SHARE









મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન
મોરબી સિવીલ હોસ્પિટલમાં કલાસ-૧ જનરલ સર્જન તરીકે સેવા આપતા ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલમાં એડમીશન મળ્યું છે અને હાલ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હીમાં છે અને ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમ્યાન દર મહિને ૫૦ થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે મોરબી સિવીલ હોસ્પિટલે કરી બતાવેલા છે. જે ખાનગી હોસ્પિટલમાં વધુ રુપિયા આપવા છતાં શક્ય ન હતા. જો કે, હાલ મોરબી સિવીલ હોસ્પિટલમાં જનરલ સર્જનની પોસ્ટ ખાલી પડી ગઈ છે. પરંતુ ડો. વિમલ દેત્રોજા જલ્દીથી પોતાના એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ પૂર્ણ કરી પાછા મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરશે તેવું ડો. વિમલ દેત્રોજાએ જણાવ્યું છે.
