ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?


SHARE













મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?

મોરબી-રાજકોટ વચ્ચે દરરોજ નિયમીત ચાલતી ઇન્ટરસીટી બસ ઉપરથી એટલે કે જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરો માટે જગ્યા મળતી નથી જે બાબતે યોગ્ય કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરોને લઇને નવા બસ સ્ટેન્ડે આવે છે ત્યારે નવા બસ સ્ટેન્ડથી બસમાં બેસવા માટે કે ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.કારણ કે જુના બસ સ્ટેન્ડથી જ જગ્યા ભરાઇ જાય છે.મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની આસપાસ અનેક સોસાયટીઓ આવેલ હોવાથી વસ્તી પણ પ્રમાણમાં ઘણી વધુ છે.તે ઉપરાંત દરરોજ અપડાઉન કરતા વિદ્યાથીઓ, ધંધાથીઓ, નોકરીયાતો તથા નાનામોટા પરચુરણ કામ કરતા શ્રમજીવઓને રાજકોટ જવા માટે નાછુટકે પ્રાઇવેટ વાહનો અથવા અન્ય એકસપ્રેસ બસમાં જવું પડે છે. આ પહેલા પણ આ બાબતે લાગતા વળગતાઓને રજુઆત કરવામાં આવેલ છે પણ પ્રશ્નનો ઉકેલ આવેલ ન હોય બહોળા મુસાફર વર્ગના હિત ખાતર સત્વરે નિર્ણય કરીને પ્રથમ નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરે અને મુશ્કેલીવાળા લોકોને રાહત મળે તેમ કરવા અથવા અમુક બસો સિધી જ નવા બસ સ્ટેશનેથી રાજકોટ માટે ઉપાડવામાં આવે તે અંગે ઘટતુ કરવા સીનીયર સીટીઝન સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂએ ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરેલ છે.






Latest News