મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?


SHARE







મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરોનું શું..?

મોરબી-રાજકોટ વચ્ચે દરરોજ નિયમીત ચાલતી ઇન્ટરસીટી બસ ઉપરથી એટલે કે જુના બસ સ્ટેશનેથી જ ભરાઇને આવતી હોય નવા બસ સ્ટેશને રાહ જોઇને ઉભેલા પેસેન્જરો માટે જગ્યા મળતી નથી જે બાબતે યોગ્ય કરવા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ પ્રથમ જુના બસ સ્ટેન્ડથી પેસેન્જરોને લઇને નવા બસ સ્ટેન્ડે આવે છે ત્યારે નવા બસ સ્ટેન્ડથી બસમાં બેસવા માટે કે ઉભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી.કારણ કે જુના બસ સ્ટેન્ડથી જ જગ્યા ભરાઇ જાય છે.મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની આસપાસ અનેક સોસાયટીઓ આવેલ હોવાથી વસ્તી પણ પ્રમાણમાં ઘણી વધુ છે.તે ઉપરાંત દરરોજ અપડાઉન કરતા વિદ્યાથીઓ, ધંધાથીઓ, નોકરીયાતો તથા નાનામોટા પરચુરણ કામ કરતા શ્રમજીવઓને રાજકોટ જવા માટે નાછુટકે પ્રાઇવેટ વાહનો અથવા અન્ય એકસપ્રેસ બસમાં જવું પડે છે. આ પહેલા પણ આ બાબતે લાગતા વળગતાઓને રજુઆત કરવામાં આવેલ છે પણ પ્રશ્નનો ઉકેલ આવેલ ન હોય બહોળા મુસાફર વર્ગના હિત ખાતર સત્વરે નિર્ણય કરીને પ્રથમ નિયામાનુસાર નવા બસ સ્ટેન્ડથી જ બસ પ્રસ્થાન કરે અને મુશ્કેલીવાળા લોકોને રાહત મળે તેમ કરવા અથવા અમુક બસો સિધી જ નવા બસ સ્ટેશનેથી રાજકોટ માટે ઉપાડવામાં આવે તે અંગે ઘટતુ કરવા સીનીયર સીટીઝન સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂએ ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરેલ છે.






Latest News