મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ  કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો


SHARE

















લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ  કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો

પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપવા માટે પક્ષીઓની ક્ષુધા અને તરસ છીપે તે ભાવનાથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર જગ્યામાં પક્ષીઓ માટે ૫૦૦ નંગ પાણી પીવાના કુંડા અને ૫૦૦ નંગ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા. રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ સુવારિયા, લા.એ.એસ.સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા. પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારી સહીતનાઓએ હાજર રહીને સેવા પરમો ધર્મ અને સેવા એ જ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા તરીકે લા.હરખજીભાઇ સુવારિયા (ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક) એ સેવા આપી હતી




Latest News