મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર પાસે રોડ ઉપર ખાડો આવતા અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં


SHARE







મોરબીના વાંકાનેર પાસે રોડ ઉપર ખાડો આવતા અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડીયા ગામ વચ્ચે બાઇક લઇને જઇ રહેલા ત્રણ યુવાનોને રસ્તામાં બાઇકની આડે ખોડા આવતા ત્રણેય યુવાનો બાઇક સહિત નીચે પટકાયા હતા જેથી તે ત્રણેયને ઈજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સાગર યોગેશભાઈ (૧૯), ભાવેશ રમેશભાઇ વારેવડીયા (૧૯) અને ભાવીન રમેશભાઇ નારણીયા (૨૫) રહે. ત્રણેય વરિયાનગર સોઓરડી પાસે મોરબી-૨ વાળાઓને ઇજાઓ પહોંચી હોય ત્રણેયને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, શહેરી વિસ્તારની જેમ જ હાઈવે ઉપર અને હાઇવેની બાજુમાંથી નીકળતા સર્વિસ રોડ ઉપર ઠેરઠેર ગાબડાં પડેલ છે જેથી આવા નાના-મોટા અકસ્માતો દરરોજ બને છે જેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે માટે સંલગ્ન વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં રોશની લાગણી છે

વૃદ્ધ બેભાન હાલતમાં મળ્યા

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ પાસે ઓમપાર્કમાં જલધારા એપાર્ટમેન્ટમાં રહેતા નાનજીભાઈ સુંદરજીભાઈ ગામી નામના ૫૩ વર્ષીય વૃદ્ધ ગઈ તા.૨૧ ના સવારે દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ થોરાળા ગામે ગયા હતા.જ્યાં થોરાળા ગામે ખેતરમાંથી બપોરના એકાદ વાગ્યાના અરસામાં નાનજીભાઇ બેભાન હાલતમાં મળી આવતા તેઓને અહીંની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News