મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ૨૪મી થી આપની ત્રણ દિવસ પરિવર્તન યાત્રા યોજાશે


SHARE











મોરબી-માળીયામાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ૨૪મી થી આપની ત્રણ દિવસ પરિવર્તન યાત્રા યોજાશે

ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં તા ૨૪ થી ૨૭ મે સુધી મોરબી-માળીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજાશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ, ધાર્મિક સ્થળોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામા આવેલ છે.

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થવાની છે ત્યારે તા ૨૪ ના રોજ મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્બર ખાતે રાત્રે ૮ થી ૧૦ કલાકે ઈસુદાન ગઢવીની જનસંવાદ સભા યોજાશે. ત્યાર બાદ ૨૬ મે ના રોજ સવારે ૯ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પરિવર્તન યાત્રાનું સ્વાગત કરશે પછી બાઈક અને કાર સાથે રેલી શહેરમાં નીકળશે અને બપોરે ૧ વાગ્યે રેલી પૂર્ણ થશે. ત્યાર બાદ સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવશે અને રાત્રે ૮ થી ૧૦ સુધી વાવડી ગામે ગામનો ચોરો જનસંવાદ કાર્યક્રમ યોજાશે. અને તા ૨૭ ના રોજ સવારે ૯ વાગ્યે પરિવર્તન યાત્રા માળિયા મીયાણા જવા રવાના થશે. ૧૦ થી ૧૨ સુધી પરિવર્તન યાત્રા માળિયા મીયાણા શહેરમાં ફરશે ત્યાર બાદ જસાપર ગામે વિરામ કરશે અને ત્યાં ૪ થી ૭ સુધી લોકો સાથે મિટીંગ અને ગામના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. ત્યાર બાદ રાત્રે ૮ વાગ્યે મોરબીની નરસંગ ટેકરી, રવાપર રોડ ખાતે સભા યોજાશે અને ત્યાંથી રાત્રે ૧૦ વાગ્યે પરિવર્તન યાત્રા ધ્રાંગધ્રા તરફ જવા રવાના થશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, રાજુભાઈ કરપડા, કૈલાશદાન ગઢવી સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે.






Latest News