મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત


SHARE









મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત

મોરબીના મચ્છુ-૨ ડેમના કમાન્ડ વિસ્તાર અને નર્મદની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયાના ખેડૂતોને ચોમાસુ વાવેતર માટે પાણી મળે તે જરૂરી છે જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેના માટે માજી ધારાસભ્યએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સીએમને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે અલગ અલગ ડેમ અને નર્મદા યોજનાની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આવી જ રીતે આગામી ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જો સમયસર ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તો તેની ઉપજ અને આવકમાં પણ વધારો થશે






Latest News