વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત

મોરબીના મચ્છુ-૨ ડેમના કમાન્ડ વિસ્તાર અને નર્મદની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયાના ખેડૂતોને ચોમાસુ વાવેતર માટે પાણી મળે તે જરૂરી છે જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેના માટે માજી ધારાસભ્યએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સીએમને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે અલગ અલગ ડેમ અને નર્મદા યોજનાની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આવી જ રીતે આગામી ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જો સમયસર ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તો તેની ઉપજ અને આવકમાં પણ વધારો થશે






Latest News