વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત


SHARE

















મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત

મોરબીના મચ્છુ-૨ ડેમના કમાન્ડ વિસ્તાર અને નર્મદની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા મોરબી અને માળીયાના ખેડૂતોને ચોમાસુ વાવેતર માટે પાણી મળે તે જરૂરી છે જેથી કરીને નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેના માટે માજી ધારાસભ્યએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સીએમને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે અલગ અલગ ડેમ અને નર્મદા યોજનાની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે આવી જ રીતે આગામી ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-૨ ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરેલ છે જો સમયસર ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે તો તેની ઉપજ અને આવકમાં પણ વધારો થશે




Latest News