મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત


SHARE







હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગઢના પાટીયા પાસે બલેનો કાર થોડા દિવસો પહેલા પલટી મારી ગઇ હતી જેથી કરીને કાર ચાલક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતો નીરજભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉમર ૨૫) ગત તા.૧૬/૫ ના છ વાગ્યાના અરસામાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગામના પાટિયા પાસેથી પોતાની બલેનો કાર નંબર જીજે ૩૬ એસી ૩૮૩૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારચાલક નીરજભાઈ કૂંડાળીયાએ પોતાની કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી કાર પલટી મારી ગઈ હતી અને યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ ઉપેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉંમર ૧૯) ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની ઘરે છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરત નગર ગામ પાસે ભરતવન પાસેથી પસાર થઈ રહેલા ટ્રક કંટેનર નંબર જીજે ૧૨ બીવી ૮૮૭૫ ના ચાલકે કોઈપણ પ્રકારની ઈશારો કર્યા વગર અચાનક પોતાનું વાહન વળાંકમાં વાળી લેતા બાઇક નંબર જીજે ૩૬ ડી ૩૬૬૩ ના ચાલક ધ્રુવભાઈ રમેશભાઈ રંગપરીયા (૨૪)ને હડફેટે લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ટ્રકનો ચાલકે પોતાનું વાહન ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો માટે હાલમાં ભોગ બનેલા ધ્રુવભાઈના પરિવારજન પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે. રવાપર રોડ મધુરમ સોસાયટી કંકુપગલા એપાર્ટમેન્ટ વાળાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News