મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું


SHARE















મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું

મોરબી જીલ્લામાં ચેરિટિ ભવનના નવા બિલ્ડિંગનું આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે આ ચેરિટિ ભવન તૈયાર કરવામાં આવશે

હારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો છે અને રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ કે, જે ભાડાના મકાનોમાં અથવા તો અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય છે તેના પોતાના અલાયદા ભવન નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મોરબી સહિત રાજ્યના આઠ જીલ્લામાં વર્ચ્યુયલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે ચેરિટિ ભવન બનાવવામાં આવશે ત્યાં મોરબી જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે જેથી કરીને ત્યાં ટ્રસ્ટની નોંધણી, હોદેદારોના નામમાં સુધારા, તેના નાણાકીય વહીવટની ચકાસણી સહિતના કામ ઝડપથી કરવામાં આવશે આ તકે કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેક્ટર એન.કે. મુછાર અને મદદનીશ ચેરિટિ કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા 






Latest News