ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું


SHARE













મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું

મોરબી જીલ્લામાં ચેરિટિ ભવનના નવા બિલ્ડિંગનું આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે આ ચેરિટિ ભવન તૈયાર કરવામાં આવશે

હારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો છે અને રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ કે, જે ભાડાના મકાનોમાં અથવા તો અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય છે તેના પોતાના અલાયદા ભવન નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મોરબી સહિત રાજ્યના આઠ જીલ્લામાં વર્ચ્યુયલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે ચેરિટિ ભવન બનાવવામાં આવશે ત્યાં મોરબી જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે જેથી કરીને ત્યાં ટ્રસ્ટની નોંધણી, હોદેદારોના નામમાં સુધારા, તેના નાણાકીય વહીવટની ચકાસણી સહિતના કામ ઝડપથી કરવામાં આવશે આ તકે કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેક્ટર એન.કે. મુછાર અને મદદનીશ ચેરિટિ કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા 






Latest News