મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !


SHARE







વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૮ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવાનો  છે જેમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટે દરેક જિલ્લાને ભાજપમાંથી ટાર્ગેટ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૧૦ હજારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં વધુમાં વધુ જાણ મેદની મોરબી જિલ્લામાંથી એકત્રિત કરવા માટે હાલમાં સતત દોડધામ કરવામાં આવી રહી છે અને ૨૩૦ જેટલી બસો અને ૨૦૦ કાર મોરબી જિલ્લામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે જવાની છે અને તેના માટે જુદાજુદા ગામોમાં શુક્રવારે સાંજે બસ પહોચાડી દેવામાં આવશે અને શનિવારે સવારે પાંચ વાગ્યે તમામ વાહનો મોરબી જિલ્લાના જુદાજુદા નક્કી કરેલા રૂટ ઉપરથી રવાના કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની ૧૪ કોલેજને ફરજીયાત ૫૦-૫૦ વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપવામાં આવેલ છે તેવી જ રીતે ગામડા, તાલુકા અને જિલ્લાના હોદેદારોને જનમેદની એકત્રિત કરવા માટે ચોકસા ટાર્ગેટ આપવામાં આવેલ છે ત્યારે આ મુદે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લાના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ   જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવવાના છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આ કાર્યક્રમમાં ૧૦ હજાર લોકો જવાના છે તેના માટેની તમામ વ્યવસ્થા અને તૈયારી કરી લેવામાં આવેલ છે






Latest News