મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !


SHARE











વડાપ્રધાન મોદીના આટકોટના પ્રોગ્રામ માટે મોરબી જિલ્લાને ૧૦ હજારનો ટાર્ગેટ !

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ૨૮ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજવાનો  છે જેમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટે દરેક જિલ્લાને ભાજપમાંથી ટાર્ગેટ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૧૦ હજારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં વધુમાં વધુ જાણ મેદની મોરબી જિલ્લામાંથી એકત્રિત કરવા માટે હાલમાં સતત દોડધામ કરવામાં આવી રહી છે અને ૨૩૦ જેટલી બસો અને ૨૦૦ કાર મોરબી જિલ્લામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે જવાની છે અને તેના માટે જુદાજુદા ગામોમાં શુક્રવારે સાંજે બસ પહોચાડી દેવામાં આવશે અને શનિવારે સવારે પાંચ વાગ્યે તમામ વાહનો મોરબી જિલ્લાના જુદાજુદા નક્કી કરેલા રૂટ ઉપરથી રવાના કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની ૧૪ કોલેજને ફરજીયાત ૫૦-૫૦ વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપવામાં આવેલ છે તેવી જ રીતે ગામડા, તાલુકા અને જિલ્લાના હોદેદારોને જનમેદની એકત્રિત કરવા માટે ચોકસા ટાર્ગેટ આપવામાં આવેલ છે ત્યારે આ મુદે પત્રકાર પરિષદ યોજીને જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લાના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાએ   જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવવાના છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આ કાર્યક્રમમાં ૧૦ હજાર લોકો જવાના છે તેના માટેની તમામ વ્યવસ્થા અને તૈયારી કરી લેવામાં આવેલ છે






Latest News