મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓને સગવડ પડે તેવી વ્યવસ્થા અધિકારી દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પાંચેય તાલુકામાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૩૦ ના રોજ મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ ખાતે, તા.૪ ના રોજ હળવદની રાજોધરજી હાઇસ્કુલ, વાંકાનેરની મહોમદી લોકશાળા-ચંદ્રપુર, ટંકારાની એસ.પી.દોશી વિદ્યાલય અને માળિયાની કે.પી. હોથી હાઇસ્કુલ-સરવડ ખાતે પણ સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં તજજ્ઞનું માર્ગદર્શન આપશે ત્યાર બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું સેશન પણ રાખવામા આવ્યું છે

શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞ

મોરબીના પરસોત્તમ ચોક મંદિર ખાતે આવેલા શનિદેવના મંદિરે વૈશાખ વદ અમાસને તા. ૩૦ મે ને સોમવારના રોજ શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૯:૩૦ કલાકે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે






Latest News