લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન


SHARE

















મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન

મોરબીના શકત શનાળા ગામે તેમજ મહેન્દ્રનગર ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮-૬ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રીતે જ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પણ ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા અને રાજેશ ગોરધનભાઈ બાવરવાના પરિવાર દ્વારા આવતી કાલ તા.૨૯ ને રવિવારના રોજ મહેન્દ્રનગર ગામે કાના બાપાના પ્લોટ, ઉમિયા ગરબીચોક હનુમાન મંદિર પાછળ રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ-નેકનામના દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાવાનો હોય ઉપરોક્ત બંને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News