વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન


SHARE











મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન

મોરબીના શકત શનાળા ગામે તેમજ મહેન્દ્રનગર ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮-૬ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રીતે જ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પણ ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા અને રાજેશ ગોરધનભાઈ બાવરવાના પરિવાર દ્વારા આવતી કાલ તા.૨૯ ને રવિવારના રોજ મહેન્દ્રનગર ગામે કાના બાપાના પ્લોટ, ઉમિયા ગરબીચોક હનુમાન મંદિર પાછળ રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ-નેકનામના દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાવાનો હોય ઉપરોક્ત બંને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News