હળવદના ધનાળા પાસે ટ્રેનની હડફેટે ચડી ગયેલી મહિલા ગંભીર હાલતમાં સારવારમાં
મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં રક્તદાન કેમ્પ યોજાયો
SHARE









મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં સંસારની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય રક્તદાન એ સૌથી મહત્વનું અગત્યનું દાન હોય. આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે, રક્તદાન કરનારને કેન્સરનું ઝોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે, રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે, શરીરમાં લોહતત્વને મેઇન્ટેન કરે છે,રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ- મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું એમાં ૧૮૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું સતશ્રી સાથે પધારેલ સર્વ મંગલ સ્વામી સહિતના તમામ સંતો તેમજ તમામ વ્યવસ્થાપક સ્ટાફ દ્વારા રક્ત કરવામાં આવ્યું હતું, હેતલબેન પટેલની પુત્રી દ્રષ્ટિનો જન્મ દિવસ હોય એમના તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી અને આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્કાર બ્લડ બેન્ક અને અનસ્ટોપેબલ વોરિયર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.
