લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE

















મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને બીએસએનએલના નિવૃત કર્મચારીએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આપઘાત કરી લેનારા વૃદ્ધને બીપીની બીમારી હોય તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું પ્રતિમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (૭૧) એ શનિવારે સવારે વાંકાનેરથી મોરબી આવેલી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મૂક્યું હતું જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. માટે તેના મૃતદેહને હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો અને મૃતકના પરિવારજનોને પૂછતા એવિ માહિતી સામે આવી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી તેને હાઈ બીપીની બીમારી હતી અને તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે




Latest News